અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

કોરોના વાયરસ અને તેની અસર.

આજે વરસો પછી મારા બ્લોગ પર લેખ લખવાનો અવસર મલ્યો છે. અને કારણ છે. કોરોના વાયરસ ને કારણે. તો પછી શા માટે કોરોના વાયરસ વિશે જ નહિ.

તો ચાલો એજ વિષય ઉપર આ લેખ લખુ છુ.કોરોના વાયરસ ની આજ ના માનવ, સમાજ અને દેશ ઉપર પડેલ અસર વિશે મારા વિચારો રજુ કરુ છુ, ગમે તો તમે અહિયા તમારી કોમેંટ્સ આપી શકો છો.

શરુઆત કરુ છુ માનવ ઉપર થી. ગઈ કાલ સુધી પોતાને ઈસ્વર સમાન માનતો માનવ એક નાનકડા વાયરસ ની સામે હારી ગયો. એક નાનકડો વાયરસ જેને નરી આંખે પણ જોઇ નથી શકાતો એવ વાયરસે ઇસ્વર સમાન માનતા માનવ ને પોતે કેટલો લાચર છે એનો અહેસાસ કરાવી દીધો. જે માણસ ગઈકાલ સુધી પોતાને સર્વ શક્તિમાન માનનાર માનવ ને સમજાવી દીધો કે ઇસ્વર ની અને મારી મરજી આગળ એ પણ પામર છે.

ગઈકાલ નો સામજીક માનવી આજે બીજા માણસ સાથે હાથ મેળવતા પણ વિચારે છે. તેની પાસે ઉભા રહેતા પણ વિચારે છે. મોઢા ઉપર માસ્ક પહેરી ને ફરે છે. એક માણસ બિજા મણસ ને અસ્પ્રુસ્ય માનતો થઈ ગયો. માનવ જાણે માનવ થી અલગ થઈ ગયો.

પરંતુ આ વાયરસ ની કારણે ઘણી સકારાત્મક અસરો પણ જોવા મળી છે. ગઈકાલ ના વ્યસ્ત માણસ ને થોડી તો ફુરસત મળી છે.પરિવાર સાથે સમય પસાર કરવાનો. આજે જાણે તેની પાસે ફુરસત જ ફુરસત છે.

આજે તારીખ ૨૭/૦૩/૨૦૨૦

કહેવુ છે ઘણુ સૈફ અને કહી નથી શકતો શબ્દો ની છે દિવાર અને દફનાઈ રહ્યો છુ. સૈફ પાલનપુરી સાહેબ ની પંકતિ ઓ આજે યાદ આવી રહી છે. કહેવુ છે ઘણુ અને શબ્દો નથી મલી રહ્યા. તો વાત ચાલી રહી હત્તી કોરોના વાયરસ અને તેની અસરો વિશે.

જે માનવ ગઈકાલ સુધી ચંદ્ર અને મંગળ પર પહોચી ગયો એ આજે એક નાનકડા વાયરસ સામે લડી રહ્યો છે. અને લડી કોણ રહ્યુ છે સમગ્ર માનવ જગત. આજે સમગ્ર માનવ જગત પોતાની તમામ કોશિસ કરી રહ્રો છે આ વાયારસ ને નાબુદ કરવા માટે પણ એ માનવ ને જાણે હાથ તાળી આપી રહ્યો છે.

 

 

 

 

 

અંજલિ – શ્રી તારક મહેતા

કહેવુ છે ઘણુ અને કહી નથી શકતો , શબ્દો ની છે દિવાર અને દફનાઈ રહ્યો છુ.

તારક મહેતા આજે  આપણી વચ્ચે નથી રહ્યા પણ એમની યાદ હમેશા આપણી વચ્ચે રહેશે. તેમની હાસ્ય શ્રેણી દુનિયા ને  ઉંધા ચશ્મા નો છેલ્લા ૩૫ વરસ થી ફેન રહ્યો છુ. એમના જેવી લેખન શૈલિ કદાચ કોઇ પણ લેખક મા નહોતી, જ્યારે પણ દુનિયા ને  ઉંધા ચશ્મા વાંચવા બેસતો ત્યારે નજર સામે એક વાસ્તવિક માળા નુ દ્રશ્ય નજર સમક્ષ ઉભુ થઈ જતુ. અને માળા ના દરેક રહેવાશી આપણા પડોશી જ લાગતા. એટલી વાસ્તવીક અને રસાળ શૈલિ મા લખતા હતા કે હસી હસી ને બેવડ વળી જઈએ , એટલે  જાહેર મા જો દુનિયા ને ઉંધા ચશ્મા વાંચતા હોઈ એ તો કોઇ આપણને ચશ્કેલ જ સમજી લે. એટલી રમુજી શૈલિ મા એ લખતા હતા. જ્યારે ૧૯૯૦ મા સિરિયલ્ નો દોર ચાલુ થયો ત્યારે પણ હમેશા એક ઇચ્છા રહિ હતી કે કોઈ તેના પરથી સિરિયલ બનાવે. અને મારુ એ સપનુ જાણે સાકાર થયુ ૨૦૦૮ મા જ્યારે આસીત ભાઇ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નુ નિર્માણ કર્યુ. અને નસિબ પણ કેવા કે પાત્રો વાસ્તવીક લાગતા હતા એમના સર્જનહાર એવા  તારક મેહ્તા સાથે વાત કરવાનો અને એમની સર્જેલી દુનિયા ના પાત્રો ને  રુબરુ મળવાનો મોકો  પણ પ્રાપ્ત થયો.

શ્રી તારક મહેતા ગઈ કાલે પણ આપણી સાથે હતા અને આવતી કાલે પણ એમને સર્જેલી દુનિયા ને કારણે  આપણી સાથે જ રહેશે . મારી એક વિનંંતી છે ચિત્રલેખા ની ટીમ ને કે “દુનિયા ને  ઉંધા ચશ્મા” શ્રેણી બંધ ન કરે.

અંત મા ઘાયલ સાહેબ ના શબ્દો સાથે વિરામ લઈશ.

છે કાઈ જિંદગી મા તો એ જ છે સહારો એક યાદ છે તમારી ને  સ્વાસ છે અમારો…..

સ્ત્રિ ના ચાર સ્વરુપ

સ્ત્રિ ના ચાર સ્વરુપ છે.

સૌ પ્રથમ તો એક દિકરી નુ, ત્યાર બાદ એક બહેન નુ, ત્યાર બાદ એક પત્નીનુ અને સૌથી છેલ્લુ આવે છે એક માતાનુ. જ્યારે એક સ્ત્રિ માતા બને છે ત્યારે જ તેને તેની અંદર રહેલી શક્તિ ઓ નો અહેસાસ થાય છે. ્જ્યારે એક દિકરી કે બહેન તેનો વિવેક ભુલે અને અવળા માર્ગે ચાલે છે ત્યારે ફક્ત એક પરિવાર નો નાશ થાય છે. જ્યારે એક પત્નિ તેનો વિવેક ભુલે અને અવળા માર્ગે ચાલે છે ત્યારે તેના પરિવાર અને કુટંબ પર અસર થાય છે. પણ જ્યારે એક માતા તેનો વિવેક ભુલે અને અવળા માર્ગે ચાલે છે ત્યારે તેના પરિવાર અને કુટંબ પર  તો અસર થાય જ છે પરંતુ સાથે સાથે સમગ્ર સમાજ રાશ્ટ્ર અને દેશ ઉપર પણ અસર થાય છે.

આજ ના આ ભૌતિક વાદ મા જો સૌથી  વધારે કોઇનો ભોગ લેવાયો હોય તો તે આ પત્ની અને માતા નો છે. જે સ્ત્રિ પરિવાર નો, કુટંબ નો મોભ ગણાતી હતી તેને આજે બિચારી બનાવી દેવામા આવી છે. જે સ્ત્રિ કુટ્ંબ ને પોતાનુ માનતી હતે તે સ્ત્રિ માટે કુટ્ંબ એ સર્વસ્વ નથી રહ્યુ.

પરિગ્રહ અન અપરિગ્રહ

પરિગ્રહ અને અપરિગ્રહ માટે મે એક લેખ થોડા સમ પહેલા લખ્યો હતો અને તેનો ઉતર મને યશવંત ભાઈ તરફ થી કોમેંટ્સ ના સ્વરુપ મા મળ્યો છે તે અહી થોડા સુધારા સાથે રજુ કરુ છુ.

પરિગ્રહ એટલે સંચય/એકઠું કરવું અને અ-પરિગ્રહ એટલે જરૂરીયાતથી વધારે કોઈપણ વસ્તુ કે ધન-દોલત વગેરે નો સંચય નહિ કરવો. નીચે પ્રસ્તુત છે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા ગાંધી બાપુના આ બાબતમાં  ચિંતન વિચાર.  ધન દોલતની લાલસા/ઈચ્છા/એષણા વગરનો  માનવ  આજકાલ ભાગ્યેજ જોવા મળશે. જે મહાવિર ભગવાને આપણને આ વિષે ઉપદેશ આપ્યો છે એને પણ કદાચ આપણે વિસરતા ગયા છિયે.

ભગવાન મહાવીર સ્વામીના ‘અપરિગ્રહ’ પાલનની આજ્ઞા  આજે કેટલી વ્યક્તિ ઓ મા જોવા મળે છે?

યુનો ખાતેની વિશ્વ ધર્મ પરિષદમાં અક્ષર પુરષોત્તમ સંસ્થાના જગત વંદનીય પ્રમુખ સ્વામીએ એક સરસ વાત  કહેલ કે બધાજ ધર્મો એકંદરે સારા અને માનવ સમાજના ઉત્થાન લક્ષી છે. છતાં આજે દુનિયામાં દિવસે દિવસે  અશાંતિ-લડાઈ-ફસાદ વધતા જાય છે.

ય. મ. ૨૬-૮-‘૩૦
મંગળપ્રભાત
પરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરેલું નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઈ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઈતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયાઓનો, ભક્તોનો આ અનુભવ છે.

રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો  લોકો બેઘર  છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બન્ને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો.

કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે; કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતાપૂરતું સહેજે મળી રહે ને બન્ને પક્ષ સંતોષનો પાઠ શીખે.

આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્રવિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઈક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટીના સત્યાગ્રહી, જીજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતા જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઈચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે.

આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઈશું કે આપણે આશ્રમમાં ઘણો સંગ્રહ એવો કરીએ છીએ કે જેની આવશ્યકતા સિદ્ધ કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડોશીને ચોરી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાન્ત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે.

આટલું યાદ રાખવાયોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઈત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે, આ ખરું વચન હોય- અને ખરું છે જ તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટે ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઈ મંદતાને તો નહિ જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઈએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઈ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહિ. અહિં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજ-પ્રાપ્ત છે.

સલામ ડો.કલામ ને … જે આપણી વચ્ચે છે અને હમેશા રહેશે

ડો. અબ્દુલ કલામ ને…….ભારત ના એક સમય ના  રાષ્ટ્રપતી ડો. કલામ ને શુ શબ્દ વાપરવા કે આગળ શુ વિશેષણ મુકવુ એમના માટે , ભારત ના એક સમયના  રાષ્ટ્રપતી કે મહાન વૈજ્ઞાનીક ડો. કલામ કે મિસાઈલ મેન ઓફ ઇંડિયા કે એક શિક્ષક કે જે હમેશા વિદ્યાર્થી ઓમા પ્રિય  કે પછી ચાચા કલામ કે પછી એક અસંતોષી વિદ્યાર્થી જે જીવન ના છેલ્લા સ્વાસ સુધી ભણાવવા અને ભણવા તત્પર.

શ્રદ્ધાંજલી એવા ડો. કલામ ને……….

જો આપણે કોઈ પણ મહાન વ્ય્ક્તી ને ખરેખર શ્રદ્ધાંજલી આપવી જ હોય તો એક પ્રણ લેવુ પડશે અને એ છે કે એમના વિશે ક્યારેય હતા શબ્દ નહી વાપરવો. હા ….. હમેશા છે શબ્દ વાપરવો …..કારણ ફક્ત એટલુ જ  જ છે કે આપણે જ્યારે પણ કોઈ વ્યકતી ને યાદ રાખીયે છિયે તો એમના ગુણ માટે અને એમના આપણા પર,સમાજ પર, દેશ પર, દુનીયા પર ના રુણ માટે, એમણે કરેલા કાર્યો માટે. જો ગુણ , રુણ અને શુભકાર્ય નાશવંત ન હોય તો એ ગુણ , રુણ ધરાવનાર અને શુભકાર્ય કરનાર વ્યક્તી કઈ રિતે નાશવંત હોઈ શકે ?

ડો.કલામ ને આપણે યાદ રાખશુ એમના ગુણ માટે અને ભારત દેશ પરના રુણ માટે……તો આપણે હમેશા યાદ રાખવાનુ છે કે ડો.કલામ … જે આપણી વચ્ચે છે અને હમેશા રહેશે.

અલ્પ લિમડીવાળા ( મનિશ શાહ)

વાઇબ્રન્ટ ઉત્સવમાં છવાઈ જનાર ભૂતાન સૌથી સુખી દેશ કેમ છે?

Read, Think, Respond

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોમાં છવાઈ જતા હોય છે. આ વખતે તેઓ વડા પ્રધાન તરીકે તેમાં ભાગ લઈ રહ્યા હતા. તેથી તેમનું છવાઈ જવું સ્વાભાવિક હતું અને તેમ બન્યું પણ ખરું, પરંતુ તેમના સિવાય બીજા એક વ્યક્તિ છવાઈ ગયા તો તે ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબ્ગે. એવું શું તેઓ બોલ્યા કે દર્શકોની સૌથી વધુ તાળીઓ તેઓ મેળવી ગયા?

ભૂતાને વિશ્વના સૌથી નાના દેશ પૈકીના આ  વડા પ્રધાને જે પ્રવચન આપ્યું તેથી તેમાં હાજર એક ઉદ્યોગપતિએ તો ત્યાં સુધી કહી દીધું કે આ તો વાઇબ્રન્ટ ભૂતાન કાર્યક્રમ બની ગયો! તોગ્બેએ બહુ નિખાલસતાથી કહ્યું કે અન્ય દેશો સાથેની સ્પર્ધા તો દૂરની વાત છે, પણ અમારા દેશનો જીડીપી (સકળ ઘરેલુ ઉત્પાદન) આ રૂમમાં હાજર ધનાઢ્ય ઉદ્યોગપતિઓની અંગત સંપત્તિ કરતાં પણ ઓછો છે. અને વાત સાચી હતી. ભૂતાનનો જીડીપી માત્ર (૨,૪૯૮.૩૯ અમેરિકી ડોલર છે : સ્રોત – વિશ્વ બૅંક) છે જે ત્યાં હાજર રિલાયન્સના અધ્યક્ષ મૂકેશ અંબાણી, અદાણી ગ્રૂપના…

View original post 1,270 more words

અમેરિકનોનો અલગ ચોકો(6)

"બેઠક" Bethak

અંતિમ પડાવ-૭ – ગોરા અમેરિકન

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવી પહોંચ્યા પછી નક્કી કર્યું કે અહીંના લોકોના સ્વભાવ, રહેણી-કરણી અને રીત-રીવાજ જાણી લેવા. ઈન્ટરનેટની મદદથી એટલું તો જાણી શક્યો કે ૨૦૧૦ના આંકડા પ્રમાણે અમેરિકામાં આસરે ૮૦ ટકા યુરોપવંસી ગોરાઓ છે, ૧૩ ટકા આફ્રીકાવંસી કાળાઓ છે અને બાકીના ૭ ટકા એશિયાવંસી લોકો છે, જેમા ભારતીયો, ચીનીલોકો અને જાપાનીઓનો પણ સમાવેશ થાય છે.
અંગ્રેજોએ આપણા ઉપર દાયકાઓ સુધી રાજ કર્યું હતું તેથી ગોરી ચામડી પ્રત્યે આપણા મનમાં અનેક પ્રકારની ગ્રંથીઓ બંધાઈ ગઈ છે. હું પહેલીવાર ૧૯૯૪ મા અમેરિકા આવ્યો હતો ત્યારે હું પણ ગોરા લોકો સાથે વાત કરતાં અચકાતો હતો. પણ એક ગોરા કુટુંબે મારી આ જીજક દૂર કરી દીધી. લ્યો માંડીને જ વાત કરૂં.
૧૯૯૪મા મારો પુત્ર ભાવેશ મુંબઈથી B.E. (Electronics) કરી અમેરિકાની University of Denver મા M.S. (Computer Science) કરવા ગયો. કોલેજની નજીક એક ભાડાના Appartment મા રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમા જેમ ઘણાને આવે છે તેમ એનો પણ Home sickness…

View original post 708 more words

સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ : 3 !!!

જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..

1983ની આ વાત છે .મારી જાણમાં ત્યારે અમદાવાદ માં બે 1.બી કે સ્કુલ ઓફ મેનેજમેન્ટ અને 2. આઈ આઈ એમ એમ બે મેનેજમેન્ટ શીખવાડતી કોલેજ હતી અને સુરતમાં દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી માં પણ ભણાવાતું .એ વખતે એમ એસ યુનીવર્સીટી માં બી કોમ માં બીજા વર્ષમાં પર્સોનેલ મેનેજમેન્ટ મુખ્ય વિષય સાથે સ્નાતક થવાની તક મળતી હતી અને આ સિવાય માર્કેટિંગ મેનેજમેન્ટ , સ્ટેટીસ્ટીક્સ ,બેન્કિંગ અને એકાઉન્ટ સાથે પણ સ્નાતક થઇ શકાતું .મારી બેચમાં પર્સોનેલ મેનેજમેન્ટ સાથે ભણનારા ફક્ત 18 વિદ્યાર્થીઓ હતા અને માર્કેટિંગ માં 100 જેટલા . પણ જે દિવસે પેપરમાં છપાયું કે આઈ આઈ એમ ના એક વિદ્યાર્થીને 8 કે 10 લાખનું પેકેજ ઓફર થયું ત્યાર પછી મેનેજમેન્ટની કોલેજો એટલી બધી ખુલી અને જે જુઓ તે એમ બી એ તો કરેજ .સપ્લાય વધે અને ડીમાંડ એટલા પ્રમાણ માં ના વધે તો ભાવ ઘટે એ શાકભાજીના હોય કે પછી પેકેજ ના હોય .શિક્ષણને આપણે ગંભીરતાથી લીધું જ નથી .આપણે તો શિક્ષણ…

View original post 499 more words

अमेरिकासे आया मेरा दोस्त

અમેરિકા અંગે નાની મોટી વાતો (૯)

"બેઠક" Bethak

દેશી દેશી ભાઈ ભાઈ

અમેરિકામા રહેવા આવ્યા પછી થોડા સમય સુધી તો રસ્તે ચાલતા કે સ્ટોર્સમાં આપણી આંખો ભારતીય લોકોને ખોળતી હોય છે. જો કોઈ મળી જાય અને વાતચીત કરવા જેવા લાગે તો ત્રણ સ્ટાન્ડર્ડ સવાલ પૂછવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાંથી આવો છો? અહીં વિઝીટર છો,  ગ્રીનકાર્ડવાળા છો કે સીટીજન છો? અહીં કોની સાથે રહો છો? અહીં ગમે છે કે ભારતમા રહેવું વધારે પસંદ છે? આ વાતચીત લંબાય તો સંબંધ બંધાય છે અને લાંબા સમય સુધી એક બીજા સાથે ટેલિફોન વ્યહવાર કે હળવા મળવાનું થાય છે.

ફ્રીમોન્ટમાં હું જ્યાં રહું છું ત્યાંથી દશ મિનીટમાં ચાલીને પહોંચાય એટલા અંતરે એક વિશાળ પાર્ક છે. સોમથી શુક્ર, રોજ સાંજે અહીં ભારતીય સિનીઅર સિટીજન ભેગા થઈ લાફટર કલ્બ ચલાવે છે. એક કલાક હલકી કસરત અને પછી પંદરેક મિનીટ હળવા મળવાનું ચાલે છે. આસરે ૩૦-૪૦ સ્ત્રી પુરૂષ આમા ભાગ લે છે. ભારતના લગભગ બધા પ્રદેશના લોકો આમા ભાગ લે છે. અહીં કોઈ ગુજરાતી નથી…

View original post 415 more words

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

સંવેદનાનો સળવળાટ

આરતી પરીખ Arti Parikh

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Hiral's Diary

જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

ચંદ્રકાંત માનાણી

મારી લાગણીઓની સરવાણી

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ધરતીનો છેડો... ઘર

ઘરની સજાવટ અંગેનો બ્લોગ

સાહિત્યરસથાળ

મારી વિચારધારાનો પ્રવાહ